CATEGORY

શાળા સેવા આયોગ વિધેયકને પણ ફરીથી રાજ્યપાલને મોકલાયું

વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં પસાર કરાયેલા અને રાજ્યપાલે તાજેતરમાં પરત મોકલેલા ગુજરાત રાજ્ય શાળા સેવા આયોગ વિધેયકને મુળ સ્વરૂપે જ આજે ગૃહે પસાર કર્યું હતું. રાજ્ય સરકારે રાજ્યપાલે આ બિલ સંદર્ભે ઉપસ્થિત કરેલા મુદ્દાઓને ફગાવી દઇ પુનઃ રાજ્યપાલને વિચારણા માટે મોકલી આપવામાં આવ્યું છે. લઘુમતી શાળાઓને ભરતીની સત્તા બંધારણે જ આપી છે એટલે સરકાર એમાં દખલ ન કરી શકે મંગળવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બિલને ફરીથી ગૃહમાં વિચારણા માટે રજૂ કર્યું હતું. બે દિવસની ચર્ચાનો ઉત્તર આપતાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં સરકારે શાળાઓમાં પ્રાથમિક શિક્ષકો, વિદ્યાસહાયકોની ભરતી સંપૂર્ણ પારર્દિશતાથી કરી છે અને એકપણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી નથી. આ જ રીતે એમના સ્થળ પસંદગીની પ્રક્રિયામાં ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. આમ, ગુડગવર્નન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે સમગ્ર દેશમાં પૂરું પાડયું છે....